← Back to practice

Gujarati New Course

GSEB Gujarati SSC · Gujarati · 2019

68 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
57
SHORT ANSWER5 marks

નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સુગ હોવી જોઈએ તે ઝાઝી જોવા નથી મળતી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌ પ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હૉસ્પિટલોમાં ઢગલાબંધ દરદીઓ બણબણતા રહે છે. વેદ-ઉપનિષદ ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે આપણે ત્યાં રોગ નિયમ છે. અને આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઊલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા.

Answer

શીર્ષક: સ્વચ્છતા અને સભ્યતા. સંક્ષેપ: ભારતીય પ્રજામાં ગંદકી પ્રત્યેની ઉદાસીનતા ચિંતાજનક છે. સ્વામી વિવેકાનંદ અને ગાંધીજી જેવા મહાપુરુષોએ ગંદકી અને માંદગીને આકરી રીતે વખોડી છે. વાસ્તવમાં આરોગ્ય એ નિયમ અને રોગ એ અપવાદ હોવો જોઈએ.
57 of 68