64
SHORT ANSWER1 mark
નીચેનું કાવ્ય વાંચી, તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો.
જીવન આ પાર વિનાની કેવી છે જંજાળ ! એક પતે ત્યાં અનેક જાગે ઝંખનાઓની જાળ. સમદરને પણ આરો છે જ્યાં શમતી જલની માળ, શિખર સહુ પર્વત કેરાં અટકે નભ વચાળ. પણ મન તૃષ્ણાની આ અવિરત ઊમટે હાર, મન છે મારું – પણ એ પાસે હું જ બનું લાચાર ! અતૃપ્તિના દાવાનળની કેમ ઠારવી ઝાળ ? કેમ પામવું જીવતરને આ કોઈ આપશો ભાળ ? – ગીતા પરીખ
- કવયિત્રીના મતે જીવનની જંજાળ કેવી છે ?
Answer
જીવનની જંજાળ પાર વિનાની છે, જ્યાં એક ઈચ્છા પૂરી થાય ત્યાં બીજી અનેક ઝંખનાઓ જાગે છે.