નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
‘કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે, તે જાણી શકાય છે. માણસ મૂળભૂત રીતે એક પ્રાણી છે અને પ્રાણીઓનું સાચું સ્થાન કુદરતમાં છે. પાંજરામાં રહેલું પક્ષી સલામત જરૂર છે, પરંતુ એના જેવા જ બીજા કુદરતના ઊડતાં, ગાતાં પક્ષીઓ જેવું એ સુખી નથી હોતું. જે વ્યક્તિ ઉગતાં કે આથમતાં સૂર્યનું સૌંદર્ય, ચાંદની રાતની શીતળતા, સૂમસામ રાતનું સંગીત, ઊંચા ઊંચા પર્વતોની ભવ્યતા, વહેતા ઝરણાનો કલરવ, હવાનો મધુર સ્પર્શ કે ભીની માટીની સોડમ માણી શકે નહિ તે એટલાં પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે. સુખી સ્વભાવની વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન, કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જોઈને આનંદવિભોર થઈ જાય છે’'.
Answer