14
LONG ANSWER5 marks
નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો સવિસ્તાર સમજાવો.
Answer
નરસિંહ મહેતાના મતે સાચો વૈષ્ણવજન પરદુઃખે ઉપકાર કરે છે છતાં મનમાં અભિમાન રાખતો નથી. તે સમગ્ર વિશ્વમાં પૂજ્ય ભાવ રાખે છે અને કોઈની નિંદા કરતો નથી. તેનું મન, વાણી અને ચારિત્ર્ય સ્થિર અને નિર્મળ હોય છે. તે પરસ્ત્રીને માતા સમાન માને છે, અસત્ય બોલતો નથી અને બીજાના ધનને હાથ પણ લગાડતો નથી. તેનામાં મોહ-માયા વ્યાપતા નથી અને તે લોભ, કપટ, કામ તેમજ ક્રોધથી રહિત હોય છે. તે રામનામની ધૂનમાં મસ્ત રહે છે અને તેના હૃદયમાં વૈરાગ્ય હોય છે. આવા નિષ્કપટી સંતના દર્શનથી અનેક પેઢીઓનો ઉદ્ધાર થાય છે.