નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
“આપણી ફરિયાદો પાર વિનાની છે. સરકાર સામે, કુટુંબજીવન સામે, ફરિયાદોની મોટી વણઝાર આપણી પાસે હોય છે. પરંતુ એક વાત આપણે સમજી લેવી જોઈએ કે સારો સમાજ, સારું કુટુંબજીવન, સારું લગ્નજીવન એ કોઈ બજારમાં વેચાતી રેડીમેઈડ ચીજો નથી. સારા મકાનની જેમ એનું પણ આપણે ચણતર કરવું પડે છે. એટલું જ નહીં એ ચણતર લગભગ દરરોજ જીવનની પ્રત્યેક ક્ષણે કરવું પડે છે. સારો બગીચો બનાવવા માટે ઘાસ અને જાળાં ઝાંખરા આપણે દૂર કરીએ છીએ. જીવનનો બગીચો ખીલવવા માટે પણ બીજાના એવા ગુણોને બાજુ પર રાખી દઈને એમના ગુણોને પ્રશંસાના જળનો થોડો છંટકાવ કરી લેવો જોઈએ.’’ -મોહમ્મદ માંકડ
Answer