← Back to practice

GSEB Gujarati SSC · Gujarati · 2022

50 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
49
LONG ANSWER4 marks

નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.

“આપણી ફરિયાદો પાર વિનાની છે. સરકાર સામે, કુટુંબજીવન સામે, ફરિયાદોની મોટી વણઝાર આપણી પાસે હોય છે. પરંતુ એક વાત આપણે સમજી લેવી જોઈએ કે સારો સમાજ, સારું કુટુંબજીવન, સારું લગ્નજીવન એ કોઈ બજારમાં વેચાતી રેડીમેઈડ ચીજો નથી. સારા મકાનની જેમ એનું પણ આપણે ચણતર કરવું પડે છે. એટલું જ નહીં એ ચણતર લગભગ દરરોજ જીવનની પ્રત્યેક ક્ષણે કરવું પડે છે. સારો બગીચો બનાવવા માટે ઘાસ અને જાળાં ઝાંખરા આપણે દૂર કરીએ છીએ. જીવનનો બગીચો ખીલવવા માટે પણ બીજાના એવા ગુણોને બાજુ પર રાખી દઈને એમના ગુણોને પ્રશંસાના જળનો થોડો છંટકાવ કરી લેવો જોઈએ.’’ -મોહમ્મદ માંકડ

Answer

શીર્ષક: જીવનનું ચણતર અથવા સકારાત્મક દ્રષ્ટિકોણ સંક્ષેપ: સુખી જીવન, કુટુંબ કે સમાજ એ તૈયાર મળતી વસ્તુઓ નથી, પરંતુ તેનું સ્વયં ચણતર કરવું પડે છે. જે રીતે બગીચામાંથી કચરો દૂર કરી છોડને પાણી પવાય છે, તેમ જીવનમાં અન્યના અવગુણો ત્યજીને ગુણોની પ્રશંસા કરવાથી જીવન બાગ ખીલી ઉઠે છે.
49 of 50