નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો: ‘એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ તેમ વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્તિ થશે. જ્ઞાન પ્રાપ્તિનો આજ માત્ર ઉપાય છે. બૂટ પોલિશવાળો પણ જેટલો વધારે એકાગ્ર થશે, તેટલો તે જોડાને વધારે ચમકવાળા બનાવશે; એજ રીતે એકાગ્રતાને લીધે રસોયો વધુ સારી રસોઈ બનાવશે, ધન મેળવવામાં, ઈશ્વરની આરાધના કરવામાં કે અન્ય કોઈ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે. માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય આ જગતમાંનું બધું જ્ઞાન કયાં મેળવાયું છે? આપણે એમનાં દ્વાર કેમ ખખડાવવાં તે જાણીએ, યોગ્ય પ્રહાર કેવી રીતે તે પિછાની એ તો જગત તેનાં રહસ્યો આપણી સમક્ષ ખુલ્લાં કરવા તૈયાર છે. એકાગ્રતામાંથી આ પ્રહારનું બળ અને શક્તિ આવે છે. – સ્વામી વિવેકાનંદ
Answer