આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મદદરૂપ બને છે. જેવું તમે વિચારશો તેવા તમે બનશો. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો; જો તમે સબળ માનશો તો તમે સબળ બનશો; જો તમે પોતાને અપવિત્ર માનશો તો અપવિત્ર બનશો ; જો તમે પવિત્ર માનશો તો પવિત્ર બનશો. આ આપણને શીખવે છે કે આપણે આપણી જાતને દુર્બળ નહિ પણ સામર્થ્યવાન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ માનવાની છે. આપણે હજી એ અભિવ્યક્ત નથી કર્યું તેનો કોઈ વાંધો નહીં; એ આપણાંમાં છે જ. આપણામાં સર્વ જ્ઞાન રહેલું છે, સર્વ શક્તિ રહેલી છે, સર્વ પવિત્રતા, સર્વ સ્વાતંત્ર્ય આપણી અંદર જ છે. ત્યારે હું, એ જ્ઞાનને પ્રગટ કેમ નથી કરી શકતો? કારણ કે હું જ એમાં શ્રદ્ધા રાખતો નથી. કોઈપણ માનવી કે હરકોઈ રાષ્ટ્ર જે ક્ષણે શ્રદ્ધા ગુમાવે તે જ ક્ષણે તેનો નાશ થાય છે. – સ્વામી વિવેકાનંદ
પ્રશ્ન : આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
Answer