66
SHORT ANSWER1 mark
રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહીં દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજનાં જવાનાં કાલે તો, જનકજનની ને ઘેર તણાં સદાનાં ગંગામા સ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો, નિજ જગા, ઉવેખી અને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડયો, ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઊપડયા લેઈ નિજની નવોઢા ભાર્યાઓ પ્રિયવચન મંદ સ્મિત વતી; વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ જૂહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે. – કવિ : ઉશનસ્
પ્રશ્ન : કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
Answer
વળાવી બા.